મુદ્રાલય એપ્રેન્ટિસ ભરતી 2026 | Apprentice Act 1961 હેઠળ ભરતી
એપ્રેન્ટિસ અધિનિયમ – 1961 હેઠળ મુદ્રાલય (Mudranalaya) દ્વારા એપ્રેન્ટિસ તરીકે તાલીમ મેળવવા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી રહી છે. આ ભરતી સરકાર દ્વારા માન્ય એપ્રેન્ટિસ તાલીમ માટે છે, જેમાં ઉમેદવારને કામ સાથે તાલીમ આપવામાં આવશે.
ખાલી જગ્યાની વિગત
- બુક બાઈન્ડર ટ્રેડ (Book Binder Trade)
- ઑફસેટ મશીન માઈન્ડર (Offset Machine Minder)
ઉંમર મર્યાદા
આ એપ્રેન્ટિસ ભરતી માટે ઉમેદવારની ઉંમર 14 વર્ષથી 25 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં છૂટછાટ લાગુ પડશે.
અરજી કરવાની છેલ્લી તારીખ
અરજી કરવાની અંતિમ તારીખ : 31 જાન્યુઆરી 2026
મહત્વપૂર્ણ નોંધ
આ ભરતી માટે અરજી કરતા પહેલાં ઉમેદવારે Apprenticeship India Portal પર ફરજિયાત રીતે રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જરૂરી છે. એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન નંબર વિના અરજી માન્ય ગણાશે નહીં.
એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી (Signature)
- ITI માર્કશીટ (બધા સેમેસ્ટર સાથેનું એક જ રિઝલ્ટ)
- આધાર કાર્ડ
- LC / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- ધોરણ 10 અથવા ધોરણ 12 ની માર્કશીટ
રજીસ્ટ્રેશન પૂર્ણ થયા પછી મળતો એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન નંબર સુરક્ષિત રીતે સાચવી રાખવો અનિવાર્ય છે.
એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન લિંક
નીચે આપેલી લિંક Desktop અથવા Laptop માં બ્રાઉઝર દ્વારા ઓપન કરી રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકશો. મોબાઈલમાં ફોર્મ ભરવાની સુવિધા ઉપલબ્ધ નથી.
-
Official Website :
https://apprenticeshipindia.org/
-
Candidate Registration :
https://apprenticeshipindia.org/candidate-registration
-
Candidate Login :
https://apprenticeshipindia.org/login
સરકારી એપ્રેન્ટિસ ભરતી કેમ મહત્વપૂર્ણ છે?
સરકારી એપ્રેન્ટિસ તાલીમ દ્વારા ઉમેદવારને પ્રેક્ટિકલ અનુભવ સાથે સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ મળે છે, જે ભવિષ્યમાં નોકરી માટે ઉપયોગી સાબિત થાય છે. ખાસ કરીને ITI પાસ ઉમેદવારો માટે આ એક સારો અવસર છે.
આ ભરતી સંબંધિત નવીનતમ માહિતી માટે અમારી વેબસાઈટ નિયમિત રીતે મુલાકાત લેતા રહો.